એક કદમ માનવતા કી ઓર…. “ટીબી હારેગા, દેશ જીતેગા”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર શ્રી ડી.ડી. જાડેજાની આગેવાની અન્વયે સરાહનિય કામગીરી થઈ રહી છે ત્યારે શનિવારે વધુ ૩૦ ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથ દ્વારા પોષણ આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.

     ગીર સોમનાથ જિલ્લા ટીબી ઓફિસર ડૉ.શીતલ રામના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથના ટ્રસ્ટી થોમસ મેડમ તરફથી પોષણકિટ આપવામાં આવી હતી અને ડીપીએસ મેણસી એમ સોલંકી દ્વારા દર્દીઓને નિયમિત સારવાર લેવા માટે સમજાવ્યા હતા. આ કાર્યક્રમમાં ટીબીના દર્દીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા.

Related posts

Leave a Comment